Thursday 29 November 2012

શા કારણે થોડા ફળોમાં બીજ અને અન્ય ફળોમાં ઠળીયા હોય છે?

આપણે બધા જાણીએ છીએ કે ફળો અને શાકભાજીમાં રહેલા બીજ એ નાના છોડ જેવા છે જે ઉગવાની રાહ જોઈને બેઠા છે પરંતુ તમે તે પણ નોંઘ્યું હશે કે થોડા ફળોમાં એક કરતાં વધુ નાના બીજ હોય છે જ્યારે અન્ય ફળોમાં એકજ મોટું બીજ (ઠળીયો) હોય છે.


બંને પ્રકારના બીજના પોત પોતાના ફાયદા હોય છે. બીજનો મુખ્ય હેતુ પોતાની જાતને જમીનમાં રોપવી જેથી તેમાથી નવા છોડનો વિકાસ થાય. દરેક બીજને જમીનમાં રોપાવા માટેની જરૂરીયાત અલગ અલગ હોય છે અને આ જરૂરીયાતો સંતોષવા દરેક પ્રકારના ફળમાં અલગ અલગ પ્રકારના બીજ હોય છે. જેથી તે જમીનમાં સફળતા પૂર્વક ઉગી શકે.

જંગલમાં ઉગેલા ફળોથી ઢંકાયેલા છોડ કે વૃક્ષ અને ખોરાક શોધતા જંગલી પ્રણીઓ વિશે વિચારો. સૌ પ્રથમ છોડ કે વૃક્ષ પોતાના રસદાર અને મીઠા ફળોથી પ્રાણીઓને આકર્ષે છે. દા.ત. લાલ જલદારુ. પ્રાણીઓ આ ફળનો માંસલ ભાગ ખાય જશે અને મોટો ઠળીયો થૂંકી નાખશે જેથી ઠળીયો ગળામાં ફસાય ન જાય. બહાર થૂંકાયેલ ઠળીયો જમીન પર પડે છે. જે તેના માટે ઉગી નીકળવાની આદર્શ સ્થિતિ છે.

બીજી રીતે વિચારતા, એક કરતાં વધુ નાના બીજ ધરાવતા ફળો જ્યારે પ્રાણીઓ ખાય છે ત્યાર મોટા ભાગના બીજ તે માંસલ ફળ સાથે ખાય જાય છે. આનો મતલબ એ થયો કે ફળોના બીજ થોડા સમય બાદ (તમે બરાબર વિચાયુઁ) તેના મળ સાથે શરીરની બહાર ફેંકાઈ જમીન ૫ર જશે. પ્રાણીઓનું મળ આ બીજ માટે ઉત્તમ ખાતર તરીકે વર્તશે અને બીજને ઉગવામાં મદદ કરશે.

આ ઉપરાંત બીજ નાના હોવાથી જંગલમાં પાણી અને હવાના માધ્યમથી દૂર દૂર સુધી ફેલાય શકે છે અને પોતાની પ્રજાતિનો વિકાસ જંગલના દરેક ભાગમાં કરી શકે.

0 comments:

Post a Comment