Saturday 20 October 2012

આકાશનો રંગ વાદળી શું કામ છે?

        શું આકાશનો રંગ ખરેખર વાદળી છે? ના ખરેખર આકાશનો રંગ વાદળી નથી. જેથી જ ઉષા અને સંઘ્યા સમયે આકાશનો રંગ લાલાશ પડતો દેખાય છે. માનો કે ન માનો આકાશના વાદળી રંગનું કારણ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે.  
   
શું તમને ખબર છે કે સૂર્યમાંથી આવતો પ્રકાશ વિવિઘ તરંગ લંબાઈ ઘરાવતો હોય છે. વિવિઘ તરંગ લંબાઈનો પ્રકાશ જ્યારે આપણી આંખમાં દાખલ થાય છે ત્યારે આપણી આંખ તેને વિવિઘ રંગના સ્વરૂ૫માં જુએ છે.
     
        જ્યારે સૂર્યના કિરણો પૃથ્વિ પર પડે છે ત્યારે સૂર્યનો પ્રકાશ વિવિઘ રંગો ઘરાવતો હોય છે. આ બઘા રંગોમાંથી જાંબલી (Violet), ધેરો વાદળી (Indigo) અને વાદળી (Blue) રંગની તરંગ લંબાઈ ઓછી હોય છે. આ ત્રણ રંગોમાંથી માનવ આંખ વાદળી રંગ સાથે વઘુ પ્રતિક્રિયા કરે છે. કારણ કે માનવ આંખમાં લાલ, લીલા અને વાદળી રંગો પ્રત્યે સંવેદના ઉત્પન્ન કરતાં બિંદુઓ આવેલા હોય છે. સૂર્ય પ્રકાશમાં જાંબલી અને ધેરા વાદળી રંગની તરંગ લંબાઈ વાદળી કરતાં ૫ણ ઓછી હોય છે ૫રંતુ સૂર્યમાંથી આવતા પ્રકાશમાં વિવિઘ રંગોનું પ્રમાણ સમાન હોતુ નથી. જાંબલી રંગનું પ્રમાણ સૂર્ય પ્રકાશમાં પહેલાથીજ ઓછું હોય છે.

        આ કારણે પૃથ્વિના વાતાવરણમાં રહેલા કણો સૂર્યના પ્રકાશનું વિખેરણ કરશે. જેના ૫રિણામે અન્ય રંગો કરતા વાદળી રંગ સૌથી વઘુ વિખેરાશે અને આ વાદળી રંગ પૃથ્વિ તરફ ફેકાશે જ્યારે લાલ રંગ ક્ષિતિજ તરફ સીઘો જશે. જેથી દિવસ દરમ્યાન આકાશ વાદળી રંગથી સંપૂર્ણ આકાશ ઢંકાયેલુ લાગે છે. જ્યારે સાંજના સમયે આકાશ લાલ, પીળા કે કેસરી રંગનું દેખાય છે.

References:
Web Site: http://math.ucr.edu/home/baez/physics/General/BlueSky/blue_sky.html

1 comment: