Thursday, 29 November 2012

શા કારણે થોડા ફળોમાં બીજ અને અન્ય ફળોમાં ઠળીયા હોય છે?

આપણે બધા જાણીએ છીએ કે ફળો અને શાકભાજીમાં રહેલા બીજ એ નાના છોડ જેવા છે જે ઉગવાની રાહ જોઈને બેઠા છે પરંતુ તમે તે પણ નોંઘ્યું હશે કે થોડા ફળોમાં એક કરતાં વધુ નાના બીજ હોય છે જ્યારે અન્ય ફળોમાં એકજ મોટું બીજ (ઠળીયો) હોય છે. બંને પ્રકારના બીજના પોત પોતાના ફાયદા હોય છે. બીજનો મુખ્ય હેતુ પોતાની જાતને જમીનમાં રોપવી જેથી તેમાથી નવા છોડનો વિકાસ થાય. દરેક બીજને જમીનમાં રોપાવા માટેની જરૂરીયાત અલગ અલગ હોય છે અને આ જરૂરીયાતો સંતોષવા દરેક પ્રકારના ફળમાં...

Saturday, 24 November 2012

પુરૂષોના શરીરમાં નિપલ (સ્તનની ડીંટીઓ) શા કારણે હોય છે?

તમે ક્યારેય નોંધ્યું છે કે તરૂણ છોકરા અને છોકરીઓના શરીર દેખાવમાં લગભગ સમાન હોય છે? તેઓના શરીરમાં ઘણી બાબતો સમાન હોય છે. દા.ત. બે હાથ, બે પગ, એક માથું, બે નિપલ (સ્તનની ડીંટીઓ) વગેરે. પરંતુ જ્યારે તરૂણો જુવાન થાય છે ત્યારે તેમના શરીર જુદી જુદી રીતે વિકાસ પામવા લાગે છે. આ વિકાસ દરમ્યાન સ્ત્રીઓમાં છાતીના ભાગમાં નિપલની નીચે સ્તનનો વિકાસ થાય છે. જ્યારે પુરૂષોમાં આવો કોઈ વિકાસ જોવા મળતો નથી. દરેક સ્તનધારી જાતિના સ્ત્રી પ્રાણીમાં સ્તન...

Saturday, 17 November 2012

ફળ અને શાકભાજી વચ્ચેનો તફાવત શું છે?

તમને કોઈ ફળ અને શાકભાજીના નામ જણાવવાનું કહે તો તમે ફટાફટ થોડા નામ કહી આપશો. પરંતુ શું તમને બન્ને વચ્ચેના તફાવતનો ખ્યાલ છે? આપણા રોજબરોજના જીવનમાં ફળ અને શાકભાજીને અલગ અલગ ઓળખવા માટે તેના સ્વાદ અને તે કઈ રીતે ખાવામાં આવે છે અથવા રાંધવામાં આવે છે તેના પર આધાર રાખે છે સામાન્ય રીતે જે વનસ્પતિ પર ઉગે, સ્વાદે મીઠા હોય અને રાંઘ્યા વગર ખાય શકાય તેને આપણે ફળ કહીએ છીએ. અને જે જમીનની અંદર અથવા જમીનની નજીક ઉગે, ક્યારેક કાચા અથવા મોટા ભાગે રાંધીને...

Saturday, 10 November 2012

આંગળીઓના છેડા પર નખ શા કારણે હોય છે?

તમે આંગળીઓના છેડા ૫ર પટ્ટી (Band-aid) બાંઘી સામાન્ય કામ કરવાના પ્રયત્નો કર્યા છે? તમને જણાશે કે નખના ઉપયોગ વગર ઘણા સામાન્ય કાર્યો જેવા કે જમીન પરથી સિક્કો કે પેન્સિલ ઉપાડવી કેટલી મુશ્કેલ છે? તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે આપણે હાથ અને પગની આંગળીઓમાં નખ શું કામ આપેલા હોય છે - નખની મદદથી આપણે આંગળીઓનો વઘુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. નખ આપણી આંગળીઓની ફક્ત કાર્યક્ષમતા જ વઘારતા નથી ૫રંતુ તે આંગળીઓનું રક્ષણ પણ કરે છે. તમારા એક હાથના નખથી...

Saturday, 3 November 2012

ડુંગળી કાપતા આંખમાં પાણી શા કારણે આવે છે?

તમારા માતા-પત્નિ-બહેન રસોઈ બનાવતા બનાવતા રોતા હોય તો ચિંતા કરતાં નહી કારણ કે ડુંગળી કાપતાં કાપતાં આંખ માંથી  નીકળતા પાણી અને દુ:ખના કારણે આંખમાંથી નીકળતા આંસુ એ તદ્દન અલગ બાબત છે. જ્યારે ડુંગળી કાપીએ છીએ ત્યારે ડુંગળીમાં રહેલ કુદરતી રસાયણ વાતાવરણમાં મુક્ત થાય છે અને જેના કારણે આપણી આંખ માંથી પાણી વહે છે. આ રસાયણ સલ્ફર છે. સલ્ફર કુદરતી રીતે ધણી વસ્તુઓમાં હોય છે. ડુંગળી કા૫તાં ડુંગળીમાંથી  મુક્ત થતુ સલ્ફર આજુબાજુના વાતાવરણમાં...

Monday, 29 October 2012

થોર (cactus) કઈ રીતે પાણી વગર જીવી શકે છે?

સામાન્ય  રીતે વનસ્પતિને જીવવા માટે પાણી ખૂબ જરૂરી છે પરંતુ થોર ને જીવવા પાણીની ખૂબ ઓછી માત્રા ની જરૂર પડે છે. થોરએ રસદાર, જાડાં અને માવાવાળા પાંદડા ધરાવતી વનસ્પતિ  છે, જે સૂકા અને ગરમ પ્રદેશ જેવાકે રણપ્રદેશમાં ઉગે છે . થોરને જીવવા માટે પણ થોડા પાણીની જરૂર પડે છે પરંતુ સામાન્ય  વનસ્પતિ કરતા ખૂબ ખૂબ ઓછી હોય  છે. થોર ખૂબ ઓછા પાણીથી પણ જીવી શકે છે તેનું મુખ્ય કારણ તેમા પર્ણ હોતા નથી. જેથી થોરમાં બાષ્પીભવન થી પાણીનો વ્યય...

Sunday, 28 October 2012

શા કારણે સૂર્ય હમેંશા પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે?

જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે નોંઘશો કે સૂર્ય હમેંશા એકજ દિશામાંથી દરરોજ ઉગે છે. દિવસ જેમ જેમ ૫સાર થાય તેમ તેમ સૂર્ય આકાશમાં આગળ વઘે છે અને સાંજના સમયે ૫શ્ચિમ દિશામાં લગભગ એકજ સ્થાને આથમે છે.  દિવસ અને રાત્રી  પૃથ્વી પર તમે ગમે ત્યાં હશો સૂર્ય હમેંશા પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે છે. પૃથ્વી પોતાની કાલ્પનિક ઘરી ૫ર સતત ગોળ ગોળ ફરે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હશે ત્યાં દિવસ અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરૂદ્ઘ દિશામાં હશે ત્યાં...

Saturday, 20 October 2012

ઝિપર(ચેન) કઈ રીતે કાર્ય કરે છે?

રોજબરોજના જીવનમાં ધણી સામાન્ય વસ્તુઓ એવી છે જે ખૂબ ઉ૫યોગી છે પરંતુ તેની આપણે ભાગ્યેજ નોંઘ લેતા હોઈએ છીએ. તેવીજ એક વસ્તુ છે ઝિપર. ઝિપર નો ઉ૫યોગ બેગ્સ, પેન્ટસ, કોટ વગેરેને વ્યવસ્થિત રીતે બંઘ કરવા આપણે કરીએ છીએ. આ ઉ૫રાંત બટન, હુક વગેરેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઝિપર આ બઘાથી અલગ અને રહસ્યમય છે. તો ચલો જાણીએ કે ઝિપર કઈ રીતે કાર્ય કરે છે. ઝિ૫રના મુખ્ય બે ભાગો છેસ્લાઈડ – કે જેને ખેંચીને ઝિપર બંઘ કે ખોલવામાં આવે છે. દાંતાઓ – સ્લાઈડની બન્ને...

આકાશનો રંગ વાદળી શું કામ છે?

        શું આકાશનો રંગ ખરેખર વાદળી છે? ના ખરેખર આકાશનો રંગ વાદળી નથી. જેથી જ ઉષા અને સંઘ્યા સમયે આકાશનો રંગ લાલાશ પડતો દેખાય છે. માનો કે ન માનો આકાશના વાદળી રંગનું કારણ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે.       શું તમને ખબર છે કે સૂર્યમાંથી આવતો પ્રકાશ વિવિઘ તરંગ લંબાઈ ઘરાવતો હોય છે. વિવિઘ તરંગ લંબાઈનો પ્રકાશ જ્યારે આપણી આંખમાં દાખલ થાય છે ત્યારે આપણી આંખ તેને વિવિઘ રંગના સ્વરૂ૫માં...